આજ રોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ ના પટાંગણમાં હરિકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ હિફલી પટેલ સમાજ ની વાડી (બોટાદ) થી પધાર્યા હતા અબોલ પશુઓને ૭૦૦/- મણ લીલી જુવાર તથા રૂ.૨૫૦૦/- નુ દાનહરિકૃષ્ણ મહિલા મંડળ એ ૨૪ બહેનો પધારી પાંજરાપોળ સ્થળ પર બે ત્રણ ધાર્મિક કીર્તન ગાઈ સંસ્થામાં આનંદ આનંદ થયો તથા અબોલ પશુઓના દર્શન કરતા ખૂબ રાજીપો વ્યક્ત કર્યો સંસ્થાના ટ્રસ્ટી શ્રીમાન નાગજીભાઈ ચાંદપરાએ ગાય માતાનું મોમેન્ટ મહિલા મંડળને અર્પણ કર્યું આ તકે ઉત્સાહી કાર્યકર કિસ્મતભાઈ ધોળકિયા તથા કનુભાઈ ધાધલ તથા કનુભાઈ ખાચર તથા નાગરભાઈ ગામી ની ખાસ ઉપસ્થિતિ રહી હરિકૃષ્ણ મહિલા મંડળે ગાય માતાની સેવા સાકરી જોઈ તેમજ સંસ્થા ની ચોખ્ખાઈ જોઈ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો સંસ્થાએ તમામ બહેનો ને આવા સત કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ અમરેલી.