મહિને રૂ. ૧ લાખનો હપ્તો નહી આપે તો કમ્પનીને નુકશાન કરવાની ધમકીઆપી. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના સરપંચના પતી એવા ભાજપના નેતાએ પીપાવાવમાં બાંધકામની મંજુરીના નામે હપ્તો માંગ્યાની અને હપ્તો નહી આપવા પર કંપનીના જાન માલને નુકસાન પહોંચાડવાની ધમકી આપ્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાબુભાઈ રામભાઈ વાઘ અને સના ગભાભાઈ વાઘ (બંન્ને રહે. રામપરા-૨) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં કોન્ટ્રાસ લોજીસ્ટિક કંપનીના ડાયરેક્ટર રાજીવ રાજકુમાર નિરૂલાએ ફરિયાદ આપતાં જણાવેલ કે,રામપરા-૨ ગામના સરપંચ હોવાનુ જણાવતા સનાભાઇ વાઘ જે ખરેખર સરપંચ નથી પરંતુ તેમના પત્ની સરપંચ છે.તેમ છતા સનાભાઇ વાઘે જેનુ પુરૂ નામ સનાભાઇ ગભાભાઇ વાઘ પોતે સરપંચ હોવાનુ જાહેર કરી અમારી કંપનીમા વેરહાઉસ બાંધકામ માટે મંજુરી આપવાના બહાને મહીને રૂપિયા એક લાખ હપ્તો માંગી નહીંતર કંપની ના કર્મચારીઓની જાન માલને નુકસાન કરી હેરાન કરી દેવા ધમકી આપી તેમજ તેમના સબંધી બાબુભાઇ રામભાઇ વાઘે મને અમોએ સરકારી જમીનમાં કોઇ દબાણ કરેલ નહીં હોવા છતાં ઇ-મેઇલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમના કાયદા મુજબ કાર્યવાહી કરવાનો ભય બતાવી આ બન્નેએ ગેરકાયદેસર રીતે મહીને એક લાખ રૂપિયા લેવા દબાણ કરેલ છે . આ અંગે પીપાવાવ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે . આ બનાવથી રાજુલા પંથકમાં રાજકિય ચર્ચા એ પણ ભારે જોર પકડ્યું છે. રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી દબદબાભેર ઉજવાઇ
દેવોના એન્જિનિયર : (વિશ્વકર્મા જયંતિ)
વદ સૂત મહાવિદ્યા વિશ્વકર્મેણ નમ:
વદ સૂત મહાવિદ્યા...
જસદણ સરદાર ચોક ખાતે મોરબી ખાતે પુલદૂર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિઅર્થે શ્રદ્ધાંજલિ
જસદણ સરદાર ચોક ખાતે મોરબી ખાતે પુલદૂર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિઅર્થે...
कमला नगर थाने में अधिकतर पुलिसकर्मियों का बीपी हाई, दो दरोगाओं का 151 और चौकी से हटे दरोगा का निकला 160
आगरा: सभी थानों में इन दिनों मेडिकल कैंप लग रहा है। इसमें पुलिसकर्मियों का बीपी चेक होने पर हाई...
जुमेरात नूरानी काली मस्जिद मैं एक अजीमो शान जलसे का आयोजन
जिंतूर बरोज 27 अक्टूबर बरो ज जुमेरात नूरानी काली मस्जिद मैं एक अजीमो शान जलसे का आयोजन किया गया...
અમદાવાદમાં આવેલ લાલદરવાજા વીજળી ધર પાસે લકી હોટલ પાસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ માઇનોરિટી... | By Ahmedabad head line news | Facebook
અમદાવાદમાં આવેલ લાલદરવાજા વીજળી ધર પાસે લકી હોટલ પાસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના...