ખાંભા નજીક પિંગળવીર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી ની શાનદાર ઉજવણી કરવામાં આવી

આજ તા.૦૬/૦૪/૨૦૨૩ના રોજ હનુમાન જયંતી નિમિત્તે પિંગળવીર હનુમાનજી મંદિર ખાતે મહિલા ધુનમંડળ દ્વારા અખડ ધુનની રમઝટ બોલાવવામાં આવી હતી.તેમજ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સાધુ સંતો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.તેમજ અમર શહીદ અમિત જેઠવા ગાર્ડનનું ભૂમિદાન ના દાતા દુબઈ થી ખાસ પધારેલ સ્વ વીર શહીદ અમિતભાઈ જેઠવા ના ધર્મ પત્ની અલ્પાબેન જેઠવા દ્વારા ગાર્ડન ખુલ્લો મુકવામાં આવ્યો હતો . તેમજ આ વર્ષના ભોજન /પ્રસાદના દાતા શ્રી સલીમભાઈ એસ બોઘાણી ખાંભા હાલ અમેરિકા દ્વારા તમામ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું .તેમજ આ કાર્યક્રમમાં

એડવોકેટ રાજુભાઈ હરીયાણી, સરપંચ પ્રતિનિધિ શ્રી બાબુભાઈ ખુમાણ, મહેન્દ્રભાઈ હરિયાણી,ભગાબાપુ,અરવિંદભાઈ ચાવડા,નિર્મળસિંહ રાઠોડ, મોહનભાઈ વરિયા,અલ્પાબેન જેઠવા,ઈરફાન ભાઈ બોઘાણી મુન્નાભાઈ કામળીયા તેમજ મંદિરના મહંત હરિદાસ બાપુ,ખાંભા ગુરુકુળના સંતો તેમજ ખાંભાના સેવાભાવી આગેવાન અને હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતાઓ હાજર રહી ભોજન, પ્રસાદનો લાભ લીધો હતો.ખાસ હિન્દુ મુસ્લીમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું.