ડીસા હાઇવે પર આવેલ અંકિત સોસાયટી નજીક હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે યજ્ઞ યોજાયો હતો. જેમાં યજ્ઞના મુખ્ય યજમાન મોહનભાઇ ચેલાજી પરમાર (મોહન મિષ્ટાન ભંડાર) ના પરિવારે લ્હાવો લીધો હતો.

જેમાં ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી. જ્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન અને ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો.