અનુમોદક દાતાઓના અનુદાન થી અવનવા મનોરંજનના કાર્યક્રમ અને જીવદયા, માનવસેવા, સમાજસેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણક નિમિતે વાસુપૂજ્ય સ્વામી જિનાલય અને શ્રીમહાવીર સ્વામી જિનાલય દ્વારા નીકળેલ વરઘોડામાં સવારે મોતીચૂર નાં લાડવાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ગરમી અસહ્ય રહેવાને કારણે પાણીની તરસ છીપાવવા માટે અલગ અલગ ૩ સ્થળ પર પાણીની પરબ શરુ કરવામાં આવી અને અબોલ પક્ષીઓ ને પાણી પીવા માટે ૮૦૦ કુંડા, ચકલી માટે ૫૦૦ ચકલી ઘર, જાર, કાંગ તથા કીડીયારું નુ વિનામૂલ્યે વિતરણકરવામાં આવ્યું. જેમાં સૌરાષ્ટ્ર રીજીયન નાં સેક્રેટરીશ્રી હિરેનભાઈ પરીખ, સિલ્વર ગ્રુપ નાં પ્રેસિડન્ટશ્રી કૃણાલભાઈ મહેતા, ઝોન કોડીનેટરશ્રી ઉમેશભાઈ દોશી, પ્રોજેક્ટ ચેરમેનશ્રી શ્રેણિકભાઈ શાહ અને સિલ્વર ગ્રુપ નાં કારોબારી મેમ્બર સેવાકિય કાર્યમાં જોડાયા