બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલની બદલી થતાં પાલનપુર ખાતે વિદાય સમારંભ યોજાયોઃ નવનિયુક્ત કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલનો સત્કાર સમારંભ યોજાયો,,બનાસકાંઠા જિલ્લાની પ્રજાને નતમસ્તક વંદન કરી અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જિલ્લાના લોકો સાથે લાગણીના તાંતણે બંધાયો છું. - પૂર્વ કલેક્ટરશ્રી આનંદ પટેલ

  બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રી આનંદ પટેલની રાજકોટ મ્યુનિસીપલ કમિશનર તરીકે બદલી થતાં જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પાલનપુર ખાતે તેમના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવનિયુક્ત કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો.