ગાંધીધામમાં મનોરંજનની નવી લહેર વિશ્વના ખ્યાતનામ જાદુગર વી.કે નું નવા અને ખતરનાક ખેલો સાથે ગાંધીધામમાં આગમન થયું છે. જાદુગર વી.કેએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે, તારીખ 2/4/2023થી ગાંધીધામમાં ટાઉનહોલ મધ્યે પચરંગી શહેર ગાંધીધામના લોકો માટે જાદુના નવા નવા કરતબ સાથે લોકોના મનોરંજન માટે મેઝિક શોનું શુભારંભ કર્યું છે. મેઝિક શોની શરૂઆત સંતો મહંતોના આશીર્વાદથી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી, જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ,ભારાપર જાગીર મહંત શ્રી ભરતદાદા, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, અસ્મિતાબેન બલદાણીયા આહીર, શ્રી બેન આહીર, પપ્પુભાઈ આહીર, હરેશકુમાર તુલસીદાસ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ,મહંત શ્રી ભરત દાદા ,પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટિલવાણી, ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના મહાનુભાવોના સ્વાગત તથા આદિપુર ગાંધીધામની સામાજિક સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો, પત્રકારો અને આમંત્રિત સૌનું સન્માન કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, કાર્યક્રમ દરમિયાન જાદુગર વીકેએ પોતાના વિશે જણાવતા કહ્યું કે તેઓ પોતે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકાના લાલુકા ગામના વતની છે અને આહીર ખેડૂત પરિવારના યુવાન છે અને છેલ્લા 14 વર્ષથી જાદુના કાર્ય સાથે સંકળાયેલા છે, અને ગાંધીધામની જનતા માટે નિર્દોષ મનોરંજન લઈને આવ્યા છે, અને આવનારા 20થી25 દિવસ સુધી ગાંધીધામની જનતાને પોતાના જાદુના કરતબ દેખાડશે, આ મેજિક શો જોયા બાદ ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ તથા પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ પોતાના અભિપ્રાય દર્શાવ્યા હતા અને જાદુગરને શુભેચ્છાઓ પાઠવી હતી, કોરોના કાળ બાદ પ્રથમ વખત આવું મનોરંજન ગાંધીધામમાં આવતા લોકોએ હર્ષની લાગણી અનુભવી હતી. ઉપરાંત પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકો મેઝિક શો નિહાળવા આવ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવાની જાહેમત અસ્મિતાબેન બલદાણીયા આહીર, શ્રી બેન આહીર તથા પપ્પુભાઈ આહીર ઉઠાવી રહ્યા છે. નોંધવું રહ્યું કે આ મેઝિક શો દરરોજ રાત્રે 9:30 વાગે અને રવિવારે બે વખત એટલે કે સાંજે 6:00 વાગે અને રાત્રે 9:30 વાગે દર્શાવવામાં આવશે. *રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुरुवारी श्री संत गाडगेबाबा पुण्यतिथी यात्रा महोत्सव
हिंगणघाट : वैराग्यमूर्ती श्री संत गाडगेबाबा पुण्यतिथी महोत्सवानिमित्त गुरुवारी (ता. 28) वणा नदीचे...
Share Market में लगातार आ रही तेज़ी, Sensex, Nifty क्यों हैं ऊंचाई पर, क्या है Expert की राय
Share Market में लगातार आ रही तेज़ी, Sensex, Nifty क्यों हैं ऊंचाई पर, क्या है Expert की राय
Maruti Suzuki और Elon Musk की Tesla नहीं, इस जापानी कंपनी ने 2023 में बेची सबसे ज्यादा कार, EV सेल में BYD को ताज
Toyota ने दावा किया है कि जापानी ऑटोमोबाइल दिग्गज की वैश्विक बिक्री पिछले साल 7.2 प्रतिशत बढ़कर...
અમદાવાદ દરિયાપુર વિસ્તાર મા કાર્યરત સંસ્કાર વિધ્યામંદિર મા નાતાલ પર્વ નિમિતે તથા નવા વર્ષ 2023 ના
અમદાવાદ દરિયાપુર વિસ્તાર મા કાર્યરત સંસ્કાર વિધ્યામંદિર મા નાતાલ પર્વ નિમિતે તથા નવા વર્ષ 2023 ના
Himachal Political Crisis: हिमाचल की राजनीति पर बोले बागी Congress विधायक Inder Dutt Lakhanpal
Himachal Political Crisis: हिमाचल की राजनीति पर बोले बागी Congress विधायक Inder Dutt Lakhanpal