એસટી બસે અડફેટે લેતા સિહોરના વૃદ્ધાનું કરૂણ મોત લૌકિક કામ માટે ભાવનગર આવ્યા હતા, પરત ફરતી વખતે નડ્યો અકસ્માત, વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ સિહોરથી લૌકિક કામ માટે ભાવનગર આવેલા એક કુટુંબના સભ્યો લૌકિક કામ પતાવી સિહોર પરત થઈ રહ્યા હતા તે વખતે એક્રેસલ કંપની નવા ગામ પાસે એસટી બસે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સિહોરના 60 વર્ષિય વૃદ્ધાનું મોત થયું હતું જ્યારે અન્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, બનાવ અંગે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સિહોર ખાતે રહેતા રામજીભાઈ છગનભાઈ ડાભીએ વરતેજ પોલીસ મથકમાં જીજે-18-ઝેડ-5409 નંબરની પાલિતાણા લખેલી એસટી બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આજે સવારે તેઓ તેમના પત્નિ અને કુંટુંબના અન્ય સભ્યો રિક્ષામાં સિહોરથી ભાવનગર લૌકિક કામ માટે આવ્યા હ્તા અને સિહોર પરત ફરતી વખતે એક્રેસલ કંપની નવા ગામ પાસે ઉક્ત એસટી બસના ચાલકે તેમની રિક્ષાને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતા તેમના પત્નિ વસંતબેનને માથાના ભાગે જ્યારે રિક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજા થઈ હતી જેમને ઈમર્જન્સી 108 મારફત સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના પત્નિ વસંતબેન રામજીભાઈ ડાભી (ઉ.વ. 60)નું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ તાલુકાના નારણપુરા ગામે ડેપ્યુટી સરપંચના બંધ મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરોઓ દ્વારા ચોરી
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના નારણપુરા ગામે ભાગરીયું ફળીયું નાગેશ્વરી મંદીર પાછળ રહેતા...
2024 Renault Captur facelift से उठा पर्दा, ADAS फीचर्स के साथ मिले ये बड़े अपडेट; पहले से इतनी बदल गई
2024 Renault Captur facelift को शार्प लुक के साथ अधिक एडवांस बनाया गया है। ग्रिल को फिर से...
বিদ্যালয় একত্ৰিতকৰণৰ সিদ্ধান্তক বিৰোধিতাৰে লাহোৱাল শিক্ষা খণ্ডৰ কাৰ্যালয়ত তলা বন্ধ চুতীয়া ছাত্ৰ সন্থাৰ
ডিব্ৰুগড়, ১ ছেপ্টেম্বৰঃ দুখন বিদ্যালয়ক একত্ৰিতকৰণৰ বাবে চৰকাৰে লোৱা সিদ্ধান্তক বিৰোধিতা কৰি আজি...
મેઘરાજાના વિરામ બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ફરી ભારે વરસાદની આગાહી.!
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વધુ એક વરસાદની મજબૂત સિસ્ટમ ગુજરાતમાં સક્રિય...