રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને જેના કારણે ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉંથી લઈ જીરુ, વરિયાળી, બટાકા, ચણા, તમાકુ, શાકભાજી સહિતના પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હજુ માવઠાની શક્યતા છે અને બાદમાં સરવે કરવામાં આવશે અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને માવઠાથી મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર તાકીદે સહાય કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે જેના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. ચોમાસામા પણ ન પડે તેવી રીતે વરસાદ પડ્યો છે અને અરવલ્લીના મોડાસા તાલુકામાં તો ૬ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના મહામોંઘા ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉં કાપણી કરેલા છે અને કાઢવાના બાકી છે તેવા અનેક ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ સિવાય તરબૂચ, પપૈયા જેવા પાકને પણ મોટો ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર આ મામલે સરવે કરીને સહાય કરે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ મામલે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હજુ માવઠાની આગાહી છે જેના કારણે હાલ સરવે નહીં થાય પણ માવઠાની આગાહી પૂરી થઈ જશે એટલે તમામ જિલ્લાઓમાં નુકસાનીનો સરવે કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલા પંથકમાં હોળી પ્રગટાવવા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી
પાંજવાળી ગામે રહેતા ફરિયાદી વાલજીભાઈ જેરામભાઈ સુરેલા રાત્રીના સમયે પરિવાર સાથે વાડીમાં આવેલા ઘર...
PM मोदी ने रखी Vadhavan Port की आधारशिला, 76000 करोड़ रुपये होंगे खर्च
प्रधानमंत्री नरेंद्र मोदी ने आज (30 अगस्त) वधावन बंदरगाह परियोजना की आधारशिला रखकर देश को बड़ी...
अब्दुल सत्तार यांच्या असभ्य वक्तव्याचा निषेध करत जोडेमार आंदोलन व फोटोचे दहन...
राष्ट्रवादी काँग्रेस पक्षाच्या लोकप्रिय खासदार संसदरत्न सुप्रियाताई सुळे यांच्या बद्दल महाराष्ट्र...
जामदया ते लिंगदरी पांदण रस्ता मोकळा करून द्या,तहसीलदार यांच्या कडे शेतकऱ्याच्या वतीने निवेदनाद्वारे मागणी
जामदया ते लिंगदरी पांदण रस्ता मोकळा करून द्या, तहसीलदार यांच्या कडे शेतकऱ्याच्या वतीने...