રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને જેના કારણે ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉંથી લઈ જીરુ, વરિયાળી, બટાકા, ચણા, તમાકુ, શાકભાજી સહિતના પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હજુ માવઠાની શક્યતા છે અને બાદમાં સરવે કરવામાં આવશે અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને માવઠાથી મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર તાકીદે સહાય કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે જેના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. ચોમાસામા પણ ન પડે તેવી રીતે વરસાદ પડ્યો છે અને અરવલ્લીના મોડાસા તાલુકામાં તો ૬ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના મહામોંઘા ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉં કાપણી કરેલા છે અને કાઢવાના બાકી છે તેવા અનેક ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ સિવાય તરબૂચ, પપૈયા જેવા પાકને પણ મોટો ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર આ મામલે સરવે કરીને સહાય કરે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ મામલે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હજુ માવઠાની આગાહી છે જેના કારણે હાલ સરવે નહીં થાય પણ માવઠાની આગાહી પૂરી થઈ જશે એટલે તમામ જિલ્લાઓમાં નુકસાનીનો સરવે કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Election Update | ચૂંટણી પહેલા વધુ એક ગઠબંધન | BTP | JDU | Political News | News18 Gujarati
Gujarat Election Update | ચૂંટણી પહેલા વધુ એક ગઠબંધન | BTP | JDU | Political News | News18 Gujarati
लियो क्लब ऑफ़ मोरान इलाइट ने विद्यार्थियों को दिया लेखन सामग्री ।
सामाजिक कार्यों में अग्रणी लायंस क्लब के अंतर्गत नवगठित लियो क्लब ऑफ़ मोरान इलाइट ने खुमटाइ बागान...
તળાજા,ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણાર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા
તળાજા,ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણાર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા
মহানগৰীৰ ৰূপনগৰত মুখ্যমন্ত্ৰীয়ে মুকলি কৰিলে ৰাজ্যিক মান অধিকাৰ আয়োগৰ কাৰ্যালয়
মহানগৰীৰ ৰূপনগৰত মুখ্যমন্ত্ৰীয়ে মুকলি কৰিলে ৰাজ্যিক মান অধিকাৰ আয়োগৰ কাৰ্যালয়
જુનાડીસા ખાતે ગુરૂ પૂજન અને ગંગામાની વાડીનુ લોકાર્પણ
જુનાડીસાના પનોતા પુત્ર ૫.પૂ. સંતશ્રી મિથિલાબિહારીદાસજી મહારાજ (અયોઘ્યા ધામ)ના...