રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને જેના કારણે ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉંથી લઈ જીરુ, વરિયાળી, બટાકા, ચણા, તમાકુ, શાકભાજી સહિતના પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હજુ માવઠાની શક્યતા છે અને બાદમાં સરવે કરવામાં આવશે અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને માવઠાથી મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર તાકીદે સહાય કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે જેના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. ચોમાસામા પણ ન પડે તેવી રીતે વરસાદ પડ્યો છે અને અરવલ્લીના મોડાસા તાલુકામાં તો ૬ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના મહામોંઘા ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉં કાપણી કરેલા છે અને કાઢવાના બાકી છે તેવા અનેક ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ સિવાય તરબૂચ, પપૈયા જેવા પાકને પણ મોટો ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર આ મામલે સરવે કરીને સહાય કરે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ મામલે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હજુ માવઠાની આગાહી છે જેના કારણે હાલ સરવે નહીં થાય પણ માવઠાની આગાહી પૂરી થઈ જશે એટલે તમામ જિલ્લાઓમાં નુકસાનીનો સરવે કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Microsoft को ग्लोबल आउटेज से उभरने में हो रही है मुश्किल, डेल्टा को ठहराया इसका जिम्मेदार
बीते महीने माइक्रोसॉफ्ट ने ग्लोबल आउटेज का सामना किया था जिसके चलते लोगों को लंबे समय तक परेशानी...
October 12, 2022 વડોદરા શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા સયાજીગૃહ ખાતે સંમેલન યોજાયું
October 12, 2022 વડોદરા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સયાજી ગૃહ ખાતે શહેર પ્રમુખ ડો. વિજય ભાઈ શાહ...
शंकराचार्य बोले-सरकार गोमांस निर्यात पर मौत की सजा दे:जो गाय की रक्षा नहीं कर सके, हिंदू उसे कभी वोट नहीं देने का संकल्प लेंगे
जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद ने कहा- केंद्र सरकार गोमांस निर्यात पर मृत्युदंड...
કૂણી પાસે મહીં કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી આવતા ચકચાર.
કૂણી પાસે મહીં કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી આવતા ચકચાર.
IRB Infra Share | IRB में रिस्क है ज्यादा, या फायदे का है खजाना? | Women Traders | Trading Strategy
IRB Infra Share | IRB में रिस्क है ज्यादा, या फायदे का है खजाना? | Women Traders | Trading Strategy