રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને જેના કારણે ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉંથી લઈ જીરુ, વરિયાળી, બટાકા, ચણા, તમાકુ, શાકભાજી સહિતના પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હજુ માવઠાની શક્યતા છે અને બાદમાં સરવે કરવામાં આવશે અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને માવઠાથી મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર તાકીદે સહાય કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે જેના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. ચોમાસામા પણ ન પડે તેવી રીતે વરસાદ પડ્યો છે અને અરવલ્લીના મોડાસા તાલુકામાં તો ૬ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના મહામોંઘા ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉં કાપણી કરેલા છે અને કાઢવાના બાકી છે તેવા અનેક ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ સિવાય તરબૂચ, પપૈયા જેવા પાકને પણ મોટો ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર આ મામલે સરવે કરીને સહાય કરે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ મામલે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હજુ માવઠાની આગાહી છે જેના કારણે હાલ સરવે નહીં થાય પણ માવઠાની આગાહી પૂરી થઈ જશે એટલે તમામ જિલ્લાઓમાં નુકસાનીનો સરવે કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  IPL 2023 में Rinku Singh ने मचाया धमाल, फिर टीम इंडिया में अपनी एंट्री के सवाल पर दिया ये इमोशनल बयान 
 
                      Rinku Singh Response On Team India Selection। आईपीएल 2023 में कोलकाता नाइट राइडर्स के स्टार...
                  
   अश्रूबाई कहार यांचे निधन    
 
 
                      अश्रूबाई कहार यांचे निधन    
 
    पाथरी -प्रतिनिधी
 पाथरी...
                  
   
  
  
  
 