રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને જેના કારણે ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉંથી લઈ જીરુ, વરિયાળી, બટાકા, ચણા, તમાકુ, શાકભાજી સહિતના પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હજુ માવઠાની શક્યતા છે અને બાદમાં સરવે કરવામાં આવશે અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને માવઠાથી મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર તાકીદે સહાય કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે જેના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. ચોમાસામા પણ ન પડે તેવી રીતે વરસાદ પડ્યો છે અને અરવલ્લીના મોડાસા તાલુકામાં તો ૬ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના મહામોંઘા ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉં કાપણી કરેલા છે અને કાઢવાના બાકી છે તેવા અનેક ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ સિવાય તરબૂચ, પપૈયા જેવા પાકને પણ મોટો ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર આ મામલે સરવે કરીને સહાય કરે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ મામલે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હજુ માવઠાની આગાહી છે જેના કારણે હાલ સરવે નહીં થાય પણ માવઠાની આગાહી પૂરી થઈ જશે એટલે તમામ જિલ્લાઓમાં નુકસાનીનો સરવે કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कटिहार में नहीं रुक रहा है मवेशी तस्करी
बिहार के कटिहार में हिंदी में मवेशी तस्करी का खेल बेरोकटोक जारी है इस दौरान मवेशी तस्कर बिहार के...
Meghalaya’s Gamchi Timre R. Marak brings honor to State; Bags “National Award To Teachers” Award from the President of India
Shillong: Smt. Gamchi Timre R. Marak from Meghalaya today received the “National Awards to...
চিলাপথাৰত চাইবাৰ অপৰাধীৰ জালত সংবাদ কৰ্মী,থানাত গোচৰ দাখিল ভোক্তভুগী সাংবাদিকৰ
চিলাপথাৰত চাইবাৰ অপৰাধীৰ জালত সংবাদকৰ্মী, চিলাপথাৰ থানাত এজাহাৰ দাখিল
অসমত সক্ৰিয় হৈ আছে...
ईद ए मिलादुन्नबी निमित्त जमात एक इस्लामी चा वतीने शहरात सहा ठिकाणी रक्तदान शिबिराचे आयोजन.
औरंगाबाद : ईद - ए - मिलादुन्नबीनिमित्त रविवारी ( ९ ऑक्टोबर ) शहरात जुलूस काढण्यात आला तसेच ....
ચોટીલા તાલુકાના સાંગાણી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના સાંગાણી...