સમગ્ર દેશભરમાં હાલમાં ચાલી રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રીની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરાના સહયોગથી હાલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે હોસ્પિટલના પ્રાંગણમાં આજરોજ આયુષ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં વિવિધ આયુર્વેદિક દવાઓ તેમજ આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને છોડવાઓનું પ્રદર્શન તેમજ માહિતીથી પ્રદાન કરતાં સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર મહાનુભવોના વ્રત હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ યોં શુભારંભ કરાયો હતો જેમાં હાલોલની કલરો શાળાનો બાળકીઓ ઉપસ્થિત મહાનુભાવોનું ગીત સંગીતના માધ્યમથી નૃત્ય થકી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિતલભાઇ પટેલ, તેમજ હાલોલ શહેર ભાજપા પ્રમુખ ડૉ. સંજય પટેલ સહિત અનેક મહાનુભાવો તેમજ આયુર્વેદ શાખાના જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સહિત લાગતા વળગતા તંત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા.