મુડેઠામાં કુરિવાજ-દારુબંધીનો ઐતિહાસિક નિર્ણય..તા.૧૧/૦૩ /૨૦૨૩ શનિવારના રોજ આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ડીસા તાલુકાના મુડેઠા ગામની કચેરીમાં સમસ્ત ગ્રામજનો એકઠા થયા હતા અને ગ્રામજનોએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો કે આજથી આપણાં ગામમાં સંપૂર્ણ કુરિવાજબંધી અને દારૂબંધી રહેશે..ગામના ક્ષત્રિય દરબાર સમાજની દરેક પાટી ના આગેવાનો સહિત ૫૦૦ થી વધુ ગ્રામજનો ભેગા થયા હતા જેમાં બ્રાહ્મણ, દેસાઈ સહિત દરેક સમાજ ના લોકો પણ હાજર રહ્યાં હતાં.નિયમોનો ભંગ કરે તેમને ગામશાહી રીતે નાત બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ જેમાં એમની સાથે સારા-ભલા પ્રસંગે વર્તવાનો બહિષ્કાર કરેલ.આ પ્રસંગે શ્રી બાબુસિંહ ઝાલા કપરુપુર ખાસ છેલ્લા એક અઠવાડીયાથી પૂજ્ય ગુરુમહારાજની સાથે રહીને ગામને સમંત કરવામાં સહયોગ આપેલો અને શ્રી નિતીનસિંહ સોલંકીએ આજે ઉપસ્થિત રહીને ગામજોગ મહત્વની વાતો રજૂ કરેલ...થોડાં દિવસોમાં મુડેઠા ગામની વ્યસનમુક્તિ માટેનો મોટો જાહેર કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવેલ.રાજપુત ક્ષત્રિય સમાજના મોટા મથક ગણાતા મુડેઠા ગામમાં આવો ઐતિહાસીક નિર્ણય લેવાતા સમસ્ત બનાસકાંઠા જિલ્લામાં ઘણા મોટા પડઘા પડી રહ્યા છે અને ગામેગામથી આગેવાનો અભિનંદન પાઠવી રહ્યા છે. આગામી જાહેર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી ગામેગામના આગેવાનોને તેડાવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वीज कोसळुन गाय दगावली,शेतकऱ्याचे मोठे नुकसान
हिवरखेडा परीसरात वीज कोसळुन गाय दगावली,शेतकऱ्याचे मोठे नुकसान
धर्माबाद येथील एलोरा वाईन शॉप मालकाच्या घरून चोरट्यांनी पाच लाख रुपयाची बॅग पळविली
धर्माबाद (प्रतिनिधी):- धर्माबाद शहरातील एलोरा वाईन्स शॉप चे मालक व्यंकटेश...
समृद्धी महामार्गाला भारतरत्न डॉ. बाबासाहेब आंबेडकर यांचे नाव द्या”, काँग्रेसची मागणी
समृद्धी महामार्गाला भारतरत्न डॉ. बाबासाहेब आंबेडकर यांचे नाव द्या”, काँग्रेसची मागणी...
ৰহা পৌৰসভাৰ ১তাৰিখ ১ঘন্টা শ্ৰমদান,স্বচ্ছতা হী সেবা কাৰ্য্যসূচী পালন।
ভাৰত চৰকাৰৰ নিৰ্দেশ ত সমগ্ৰ দেশত ১তাৰিখ ১ঘন্টা শ্ৰমদান,স্বচ্ছতা হী সেবা কাৰ্য্যসূচী চলি থকা...
પૂર્વ ગૃહમંત્રીએ બનાવી 31 ફેક કંપનીઓ અને અંજામ આપ્યો 800 કરોડથી વધુના કૌભાંડને- ACB અમદાવાદ શું કહે છે જાણો : Video
પૂર્વ ગૃહમંત્રીએ બનાવી 31 ફેક કંપનીઓ અને અંજામ આપ્યો 800 કરોડથી વધુના કૌભાંડને- ACB અમદાવાદ