ભક્તોમાં ભારે રોષ: અંબાજી મંદિરમાંથી 21 ભૂદેવો મોહનથાળનો પ્રસાદ લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા, મોહનથાળ ફરી શરૂ કરવાની માગ કરી

સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અંબાજી મંદિરમાં માં અંબાને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટી પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. તેમજ જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.