ખંભાતના શકરપુર ખાતે આવેલી શ્રી સ્વામીનારાયણ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જે પ્રસંગે પૂજ્ય શ્રી ધર્માનંદન સ્વામીએ ઉપસ્થિત રહી વિશેષ પ્રવચન થકી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.મુખ્ય મહેમાન તરીકે કાર્ડિયાક કેર સેન્ટરના સેક્રેટરી મિલનભાઈ પટેલ, દિવ્યકાંત દલાલ, શકરપુર સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ પટેલ, સરપંચ દિનેશભાઈ પટેલ, સાગરભાઈ પટેલ, હરેન્દ્રભાઈ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા.પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને કંપાસ પાઉચ, પેન, નાસ્તો તેમજ આત્મવિશ્વાસ વધે તેવા સુવાક્યો આપવામાં આવ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)