શહીદ વીર જવાન વિજય ભાઇ વણઝારા જે ઓ છેલ્લા ૨૦ વર્ષ થી બી. એસ. એફ. મા પોતાની ફરજ નિભાવતા હતા વિધિ ની વક્રતા તો જુઓ તેઓ આ વર્ષ ના જુલાઇ મહિના મા નિવૃત થવા ના હતા પણ કુદરત ને કઈક અલગ જ મંજૂર હતુ ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામના રહેવાસી શહીદ વિજયભાઇ પ્રતાપભાઇ વણઝારા ૧૯ વર્ષ ની નાની ઉમર મા બી. એસ.એફ મા જોડાયા હતા એક અકસ્માત દરમ્યાન તેઓ ને પાલનપુર હોસ્પીટલ મા આઇ સી યુ મા દાખલ કરાયા હતા અને ૭ માર્ચ ના રોજ ડોક્ટરે તેઓ ને શહીદ જાહેર કર્યા હતા ૮ માર્ચ ના રોજ તેઓ ના માદરે વતન મા ગાર્ડ ઓફ ઓનર નુ સન્માન આપી ને તેઓ ન દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા રાજકીય આગેવાનો એજ બાજુ ના સમસ્ત ગ્રામ જનો એ આંસુ ભરી આખે વિદાય આપી હતી

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર