બનાસકાંઠા હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અમીરગઢ ઈકબાલગઢ ધાનેરા,પાંથાવાડા સહિત દાંતીવાડા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા સમી સાંજે આકાશમાં ગનગોર વાદળો ઘેરાયા છે. ગઈરાત્રી દરમિયાન જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા પાડ્યા હતા.