આણંદ જિલ્લામાં સાંસદ દ્વારા આદરણીય વડાપ્રધાનશ્રીના અંત્યોદય મૂલ્યોને સાર્થક કરવા અંત્યોદય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અંત્યોદયના મૂલ્યોને સાર્થક કરવા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં અંત્યોદય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત ખંભાતના ગોલાણા જિલ્લા પંચાયત બેઠકના જીણજ ગામે, ખંભાત વિધાનસભા બેઠકના ભીમતલાવ ગામે, ગોલાણા (મિતલી) વડગામ ખાતે અંત્યોદય યાત્રા પહોંચી જ્યાં આણંદ સાંસદશ્રી મિતેષભાઈ પટેલ તેઓની સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, ગામના સરપંચશ્રીઓ તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત ઉપરોક્ત ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....