ખંભાત તાલુકાના નગરા ખાતે દવાસણી માતાજી અને દ્વારકેશ્વર મહાદેવના મંદિરના નવનિર્માણ પાટોત્સવની ત્રિ-દિવસીય ભવ્ય ઉજવણી કરવમાં આવી હતી.જેમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી.

પાટોત્સવ પ્રસંગ અંતર્ગત દવાસણી માતાજીની શોભાયાત્રામાં ભક્તોની ભારે જનમેદની ઉમટી હતી.વિધિવત રીતે પૂજા, સ્થાપના વિધિ, દેવ પ્રતિષ્ઠા તેમજ ધજા આરોહણ, નવચંડી યજ્ઞ કરવામાં આવ્યું હતું.મહાપ્રસાદી દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા.રાત્રિ દરમિયાન લોક ડાયરો-માતાજીના ગરબામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.ક્ષત્રિય સમાજના સ્વંય સેવકોએ તેમજ આયોજકોની ભારે જહેમત હેઠળ ભવ્ય પટોત્સવ સફળ નીવડ્યો હતો.અંતે મહાપ્રસાદીનું નગરા ગામમાં વિતરણ કરવામાં આવ્યું હતું.અને દાતાઓએ મંદિરના નવનિર્માણ માટે દાન અર્પણ કર્યું હતું.

(સલમાન પઠાણ-ખંભાત)