ખંભાત શહેરના જુમ્મા મસ્જિદ પાસે રહેતા પરવેઝખાન નિયાઝખાન પઠાણ પોતાના ઘર પાસે રીક્ષા પાર્કિંગ કરીને ગયા હતા.તે દરમિયાન રસ્તામાંથી પસાર થયેલા રહેમતહુસેન અનવરહુસેન સૈયદે રીક્ષા અહીં કેમ પાર્કિંગ કરી છે તેવું કહ્યું હતું.ત્યારે પરવેઝખાને દૂર મૂકી દો તેમ કહેતા રહેમતહુસેન ઉશ્કેરાઈ ગયા હતા અને પરવેઝના માથામાં પાવડો મારી દીધો હતો.જે ગુના બાબતે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.