ઉપસ્થિત સંતોના ભકતો સહિત પાટણની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી..

              (મેરૂજી પ્રજાપતિ)

ધર્મની નગરી પાટણ શહેરમાં આજરોજ તા.૨૪/૨/૨૦૨૩ પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ જુના અખાડા ના શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ની પવિત્ર અને પાવનકારી જગ્યા ના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રાનંદ ગીરીજી ના આમંત્રણ ને માન આપીને શુક્રવારના રોજ જુના અખાડા ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી 1008 પ્રેમગીરીજી મહારાજે વિશાળ સાધુ-સંતોના કાફલા સાથે પધરામણી કરી પોતાના રૂડા આશીર્વાદ ઉપસ્થિત સેવક ગણ સહિત સમગ્ર પાટણ ની જનતાને પાઠવી શ્રી વિજય હનુમાન આશ્રમના પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રાનંદ ગીરીજી મહારાજ ની ચાદર વિધિ કરી હતી.

પાટણના શ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ ખાતે ઉપસ્થિત રહેલા જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી 1008 પ્રેમગીરીજી મહારાજ સહિત ઉપસ્થિત રહેલા અન્ય સંતો મહંતોનું શ્રી રાજેન્દ્રાનંદ ગીરીજી મહારાજ દ્વારા ભેટ પૂજા અર્પણ કરવામાં આવી હતી.

પાટણના શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે ઉપસ્થિત રહેલા સંતો મહંતોના દર્શન માટે મોટી સંખ્યામાં વિજય આશ્રમના સેવક ગણ તેમજ પાટણની ધર્મ પ્રેમી જનતાએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.