દિયોદરમાં જલારામ બાપાના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલ ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. લોકગાયકા ગીતાબેન રબારીના સુરે લોકોને દોડાવ્યા હતા અને લોકોએ રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો.

  ડાયરામાં કલાકારો પર નોટો ઉછાળવી એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. કોઈપણ ડાયરો હોય કલાકારો પર નોટો ઉછાળી રૂપિયાનો વરસાદ થતો હોય છે. ત્યારે દિયોદરમાં પણ જલારામ બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. રઘુવંશી લોહાણા ઠક્કર સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહોત્સવમાં સવારે શોભાયાત્રા અને સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં લોક ગાયિકા ગીતાબેન રબારીના સુરે લોકોને ડોલાવ્યા હતા, તો લોકો ભક્તિના રંગે રંગાતા રૂપિયાની નોટો નો વરસાદ કર્યો હતો.