212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી મહિસાગર પંચમહાલ અને ખેડા જિલ્લા દ્વારા આયોજીત 13 મો સમૂહલગ્ન તારીખ 23/02/2023 ગુરુવાર ના રોજ વરધરી તા.લુણાવાડા જિ.મહિસાગર ખાતે "સમૂહ લગ્ન સમારોહ"માં કુલ 10 યુગલો એ પ્રભુતામા પગલાં માડ્યા હતા આ 10 (દસ) દિકરીઓ ને 212 વાળંદ સમાજ તરફથી કન્યાદાન મા ફુલનહી તો ફુલની પાંખડી સ્વરૂપે 90 જેટલી ઘરવપરાશ ની ચીજવસ્તુઓ આપી કન્યાદાન કરેલ છે સાથે સાથે રોકડ રકમ પણ દાન આપી અને 11 જૂથ વાળંદ સમાજ ગામ સમસ્ત તરફથી ભોજનના દાતાશ્રીઓ બની આ સમૂહલગ્ન મા સિંહ ફાળો આપેલ હતો વરધરી વાળંદ સમાજ સાથે 11 જૂથ સમાજે રસોડાથી માંડી કાર્યક્રમ પૂર્ણ થયો ત્યા સુધી ખુબ સાથ સહકાર આપી ભગીરથ કાર્ય કરેલ છે આ સમૂહલગ્ન સમારોહ મા શ્રીધર્મપ્રિયદાસજી મહારાજ (જેઠોલી મંદિર)ઉપસ્થિત રહ્યા હતા એમનુ સ્વાગત 212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી પ્રમુખશ્રી મહેશભાઈ કોદરભાઈ વાળંદ પત્રકાર સેવાલીયા એ સાલ ફુલહાર આપી સન્માન કર્યુ હતુ નવદંપતિઓને સુખી દાંપત્ય જીવનનાં આશીર્વાદ તેમજ શુભકામનાઓ પાઠવી.વ્યસન મુક્તિ પર ભાર મુક્યો હતો સમૂહલગ્ન થકી સમય અને પૈસાની બચત થાય સમૂહલગ્ન સમાજ નો વિકાસ નો પાયો છે સમૂહલગ્ન થકી સમાજ દેશ આગળ આવે સમૂહલગ્ન જોડાવુ જોઈએ 212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી ને ધન્યવાદ આપ્યો આ ભગીરથ કાર્ય નો યશ એમના શીરે જાય છે જેમના મા બાપ અને એમના દિકરા દિકરીને આ સમૂહલગ્ન મા જોડાયા એમને પણ ધન્યવાદ આપ્યા હતા.પંચમહાલ લોકસભા સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબશ્રી સમૂહલગ્ન સ્થળ પર આમંત્રણ ને માન આપી પધાર્યા હતા.નવદંપતિ ને શુભેચ્છાઓ પાઠવી હતી.વરધરી ગ્રામ પંચાયત ના સરપંચ એ હાજરી આપી હતી આ ઉપરાંત 212 વાળંદ સમાજ સમૂહલગ્ન સમિતી પ્રમુખ શ્રી મહેશભાઈ કોદરભાઈ વાળંદ ગામ સેવાલીયા.એસ.પી શર્મા આગરવાડા. તથા લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી રાજેન્દ્રકુમાર એમ વાળંદ દેવ સમારંભ અધ્યક્ષ લીંબચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ ના ટ્રસ્ટી પ્રવિણભાઈ મંગળભાઈ શર્મા વિરપુર.તથા સરપંચ શ્રીમતી કૈલાશબેન મહેન્દ્રભાઈ વાળંદ લીંબચ યુવા સંગઠન મહિસાગર પ્રમુખ વિપુલભાઈ એમ વાળંદ તથા સમારંભ પ્રમુખ મોહિનકુમાર પ્રભુદાસ વાળંદ પીલોદરા હાલ આણંદ તથા ગૌતમકુમાર રતિભાઈ વાળંદ રાજનપુર હાલ દુબઈ તથા સરપંચ શ્રી વિષ્ણુભાઈ રમણભાઈ વાળંદ ડખરીયા મહેન્દ્રકુમાર એસ વાળંદ જનોડ કાંન્તિભાઈ મોરવા શાંતિભાઈ જનોડ હાલ ગાંધીનગર 11 જૂથના મંત્રીશ્રી રમેશભાઈ વરધરી આ મહાનુભાવોએ સ્ટેજ પર બેસાડી વિશિષ્ટ સન્માન કરેલ છે આ સમૂહલગ્ન સમારોહ મા સ્ટેજ નુ સંચાલન 212 લીબંચ સમાજ સેવા ટ્રસ્ટ ના સ્થા.ઓડિટર મહેન્દ્રભાઈ કે શર્મા ગુણેલી તથા 212 લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ ના ખજાનચી ગિરીશકુમાર એમ શર્મા પરબિયા એ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે તથા જે.ડી શર્મા નમનાર સહયોગ આપેલ છે 211 વાળંદ સમાજ મહિસાગર પંચમહાલ અને ખેડાના નામી અનામી વાળંદ જ્ઞાતિબંધુઓ હાજર રહી આ સમારંભ મા ચાર ચાંદ લગાવ્યા હતા 

સમુહલગ્ન થકી સમાજની એકતા-અખંડિતતાના દર્શન થાય છે. સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે અને સમાજની સામાજિક જવાબદારી અદા કરવા માટે પ્રતિબદ્ધ બનવું એજ સાચો નાગરિક ધર્મ છે. આર્થિક અને સામાજિક સુધાર માટે સમુહલગ્ન હવે પરંપરા બનતી જાય છે, ત્યારે સંપન્ન સમાજ પણ સમુહલગ્ન યોજે અને ઓછા ખર્ચે અનેક યુગલો આપણા સમાજમાં લગ્ન ગ્રંથિથી જોડાય એવી ભાવના વ્યક્ત કરું છું સમાજનાં સમરસ, સમતોલ અને સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છ