હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત શ્રી પી.એમ. પરિખ જનરલ હોસ્પિટલ ખાતે આજરોજ વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક સંચાલિત પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટરનો શુભારંભનો કાર્યક્રમ તેમજ પી.એમ પરિખ જનરલ હોસ્પિટલ ખાતે શ્રી પન્નાલાલ માણેકલાલ પરીખની પ્રતિમાની અનાવરણ વિધિનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉ. વાગીશકુમાર મહોદયશ્રી અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ડાયરેક્ટર રાકેશ તલાટીના વરદ હસ્તે યોજાયો હતો જેમાં પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટરનો રીબીન કાપી શુભારંભ કરી ઉપસ્થિત મહાનુભાવોએ કરી બ્લડ સેન્ટરનું લોકાર્પણ કરતા બ્લડ સેન્ટરને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યારે પી.એમ. પરીખ જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં શ્રી પન્નાલાલ માણેકલાલ પરીખની પ્રતિમાની અનાવરણ વિધિ પણ ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ તેમજ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીની સી.એસ.આર. ટીમના હેડ નીરજ કુંદનાની સહિત આશિષ વરિયા, ભાર્ગવ મહેતા સહિતની ટીમના સદસ્યો તેમજ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખ, મંત્રી દિવ્યાંગ મહેતા, અને ખજાનચી પંકજભાઈ પરીખ, તથા ટ્રસ્ટીઓ તેમજ હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા અને હાલોલ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.