ડીસા વાડીરોડ ખાતે આવેલ માં વહાણવટી સિકોતર મંદિરે આસ્થા ધરાવતા લોકો દર્શને ઉમટીયા..

અહેવાલ : વિનોદ બાડીવાલા

ડીસા વાડી રોડ વિસ્તારમાં આવેલ વહાણવટી સિકોતર માં ના ભુવાજી ના દાદા પાકિસ્તાન માં કાલુજી ઠાકોર ની માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા જે તે સમયે ડીસા આવીને વાડી રોડ વિસ્તાર માં વસવાટ કર્યો હતો..

સમય જતાં દાદા ની પોત્ર સાગર પર અસીમ કૃપા થતા વારસાઈ માં પાંચ વર્ષ ની ઉમરે માતાજી પ્રસન્ન થતા સમય ની સાથે ડીસા મુકામે માતાજી ની સ્થાપના કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરી છેલ્લા બે વર્ષથી સાગર ભુવાએ માતાજી નો હુકમ થતા દર રવિવારે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં સિકોતર માંના દર્શન કરી ધન્યતા અનુભવ કરી રહ્યા છે...

દર રવિવારે માં સિકોતર ના આસ્થા ધરાવતા ભાવિ ભક્તો પોતાની મુશ્કેલીઓ માતા આગળ રજુ કરતા રાત્રિ ના મોડા સુધી બેસી ને દર્શન લાભ લઈ નિરાકરણ કરી રહ્યા છે...માતા માં આસ્થા ધરાવતા ભક્તોની મનોકામના માતા પૂરી કર્યા નો આભાસ થતો હોય છે...