તા. 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી 2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા કલેક્ટર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાંજે 7:30 કલાકે ગબ્બર તળેટી પ્રવેશદ્વાર પાર્કિંગ પાસે આ કાર્યક્રમ યોજાશે.