ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..