પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત

             પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે હાઇવે ઉપર ટ્રકની ટક્કરથી બાઇક ચાલક આધેડનું માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થવા પામ્યું હતું. 

           પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામના રહીશ દિનેશભાઈ શુક્લાભાઈ નાયકા ( ઉ. વ. ૫૨ ) પોતાની મોટરસાયકલ જી.જે.૩૪- કે - ૩૧૭૯ લઈને પોતાના સંબંધી ને ત્યાં જાંબુઘોડા તાલુકાના નીઝરૂણ ગામે ગયા હતા ત્યાંથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા તે સમયે સાત ફેબ્રુઆરી સાંજના ચાર વાગ્યાના અરસામાં સુસ્કાલ ગામે ટ્રક નંબર જી. જે. ૨૧- ટી- ૫૩૯૯ ના ચાલકે પોતાની ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી દિનેશભાઈ નાયકાનાઓની બાઈક સાથે અથાડી ભયંકર અકસ્માત કરતા દિનેશભાઈ નાયકા ના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ શરીરે ઓછી વધતી ઈજાઓ પહોંચાડતા દિનેશભાઈ નાયકા નું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોર થવા પામ્યું હતું. ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પાવીજેતપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.  

        આમ, પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે ટ્રકની ટક્કરથી સુસ્કાલ ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળ ઉપર કરુણ મોત થવા પામ્યું છે.