અરવલ્લી જિલ્લાના માલપુરના ક્રિષ્નાપુર પાટિયા પાસે એક કાર પલટી જવાની ઘટના સામે આવી છે. કૂતરા રસ્તાની વચ્ચે આવી જતા બ્રેક મારતા કાર પલટી મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અન્ય ચાર લોકો સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ હાથ ધરી માલપુરના કૃષ્ણાપુર પાસે મુંબઈનો એક પરિવાર નાથદ્વારા દર્શન કરી પરત ફરતા હતા. ત્યારે માલપુરના કૃષ્ણાપુર પાટિયા પાસે કૂતરું વચ્ચે આવી જતા કૂતરાને બચાવવા માટે કાર ચાલકે બ્રેક મારી હતી. ત્યારે કાર એકાએક પલટી ગઈ હતી. કારમાં સવાર 5 મુસાફરોને ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. 108 દ્વારા તમામને સારવાર અર્થે માલપુર સીએચસી ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજા પામેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય ચાર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની જાણ માલપુર પોલીસને થતા માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan-3 Mission: चंद्रमा की कक्षा से सिर्फ 6 दिन दूर चंद्रयान-3, ISRO 1 अगस्त को थ्रस्टर्स चालू करेगा
बेंगलुरु, भारतीय अंतरिक्ष अनुसंधान संगठन यानी इसरो ने चंद्रयान-3 को पृथ्वी की कक्षा से चंद्रमा की...
Sachin Tendulkar ने AZAD Engineering में खरीदी हिस्सेदारी, जानिए क्या कारोबार करती है कंपनी
नई दिल्ली, बिजनेस डेस्क। भारत में क्रिकेट के भगवान कहे जाने वाले सुपरस्टार क्रिकेटर सचिन...
Ahmedabad News| અમદાવાદ: વેજલપુર માં યાશમીન ફ્લેટ 3 માળની બિલ્ડિંગ ધરાશાયી| Vejalpur News | Dpnews
Ahmedabad News| અમદાવાદ: વેજલપુર માં યાશમીન ફ્લેટ 3 માળની બિલ્ડિંગ ધરાશાયી| Vejalpur News | Dpnews