સુરેન્દ્રનગર એલસીબીએ બાતમીના આધારે દરોડા પાડી માલવણ હાઇવેની આશીયાના હોટલમાંથી જુગાર રમતા 14 શખ્સો રૂ. 1.26 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા. જેમાં પોલીસે રોકડા, મોબાઇલ નંગ- 13 સહિત રૂ. 1,26,500નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે શેડલા ગામના સોહેલખાન જેહાજીખાન મલેકના પોતાની માલિકીની આશીયાના હોટલના ઉપરના માળે ત્રીજા નંબરના રૂમમાં અચાનક દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતુ. પોલીસે આ દરોડામાં સોહેલખાન જેહાજીખાન જતમલેક ( શેડલા ), મોહસીનભાઇ બાબુભાઇ મંડલી ( વિરમગામ ), વિનોદભાઇ વિરાભાઇ પાધરેચા ( દસાડા ), ભાવેશભાઇ અમરૂભાઇ રાબા ગઢવી ( ધ્રાંગધ્રા ), અયુબભાઇ આદમભાઇ કુરેશી ( બજાણા ), જયેશભાઇ કાળુભાઇ સોલંકી ( દસાડા ), શામજીભાઇ ચંદુભાઇ સાકરીયા ( રાજગઢ ), આદમભાઇ ભામીયાભાઇ કુરેશી ( ધ્રાંગધ્રા ), યુસુફખાન રહીમખાન રાઠોડ ( દસાડા ), સીરાજુદીન દાવલભાઇ મલ્લા ( જૈનાબાદ ), જાવેદશા સતારશા દીવાન ( દસાડા ), વિજયભાઇ બચુભાઇ ડાભી ( સુરેન્દ્રનગર ), પોપટભાઇ મેરૂભાઇ રાવળદેવ ( ધ્રાંગધ્રા ) અને જગદીશભાઇ દેવકરણભાઇ મહલીયા ( એંજારતા )ને તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. 66,000 અને મોબાઇલ નંગ- 13, કિંમત રૂ. 60,500 મળી કુલ રૂ. 1,26,500ના મુદામાલ સાથે ઝડપી પાડી બજાણા પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના દરોડોમાં પી.આઇ. વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેશભાઇ, જયેન્દ્રસિંહ, ગોવિંદભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.બી.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માલસર ગામે શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરે લાભ પાંચમ ના દિવસે ઠાકોરજીને 56 ભોગ અન્નકૂટ ચડાવાયા 👇👉
માલસર ગામે શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરે લાભ પાંચમ ના દિવસે ઠાકોરજીને 56 ભોગ અન્નકૂટ ચડાવાયા 👇👉
शारदा प्रतिष्ठानच्या आदर्श शिक्षक पुरस्काराचे वितरण पाच सप्टेंबरला- अमरसिंह पंडित यांची माहिती
शारदा प्रतिष्ठानच्या आदर्श शिक्षक पुरस्काराचे वितरण ५ सप्टेंबरला - अमरसिंह पंडित यांची माहिती...
શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ મહુધા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રકૃતિની શોભા વૃક્ષ ને ધ્યાનમાં રાખી મહુધા કેળવણી મંડળના સહમંત્રી ભીખાભાઈ પટેલ,શાળાના આચાર્ય...
Honda NX500 ADV की प्री-बुकिंग हुई शुरू, भारतीय बाजार में लेगी CB500X की जगह
Honda NX500 एडवेंचर टूरर को इच्छुक ग्राहक अपने नजदीकी बिगविंग डीलरशिप के माध्यम से बुक कर सकते...