ડીસા પાસે આવેલ ધર્મનગરી જુના ડીસાથી જીરાવલા છ'રીપાલક સંઘનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગામના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગામમાં પધાર્યા હતા અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો .બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નજીકના જુના ડીસા ગામના જૈન શ્રેષ્ઠીઓ વ્યવસાય અર્થે દેશ વિદેશમાં સ્થાઈ થયા છે , પરંતુ તેઓ માદરે વતનનું ઋણ ચૂકવવા સદાય અગ્રેસર રહે છે . હાલમાં ગામના તારાબેન રસિકલાલ શેઠ પરિવાર તરફથી જુના ડીસાથી જીરાવલા તીર્થ ધામના છ'રીપાલક સંઘનું આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગઈકાલે ગામના તમામ સમાજના ભાઈ બહેનોને ભોજન પીરસવામાં આવ્યું હતું . ત્યારબાદ આજે છ'રીપાલક સંઘનું પ્રસ્થાન કરાયું છે . જેમાં હાજરી આપવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ માદરે વતન આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું . તેમણે સંઘના આયોજન બદલ આયોજક પરિવારને બિરદાવી માદરે વતનમાં આવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી . આયોજક પરિવારે પણ તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો . તેમજ ગૃહમંત્રીએ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री गणेशोत्सव मुळे बीड शहरात बाजारपेठा गजबजल्या
श्री गणेशोत्सव मुळे बीड शहरात बाजारपेठा गजबजल्या
મહારાષ્ટમાં જોન્સન બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઈના મુલુંડમાં જોન્સન એન્ડ...
बीड बायपास महामार्गावर भीषण अपघात; तिघे गंभीर@india report
बीड बायपास महामार्गावर भीषण अपघात; तिघे गंभीर@india report
'The Kerala Story' पर वकील शुक्कुर आगबबूला, बोले- 32 महिलाओं के धर्म परिवर्तन को भी किया साबित तो दूंगा इनाम
तिरुवनन्तपुरम, 'द केरल स्टोरी' ने राज्य में अपने तथ्यात्मक आधार और अभिव्यक्ति की स्वतंत्रता...
গোলাঘাটৰ গৰঙাত আদৰ্শ অংগনবাড়ী কেন্দ্ৰৰ শুভ উদ্বোধন কৰি কি ক’লে মন্ত্ৰী কেশৱ মহন্তই
গোলাঘাটৰ গৰঙাত আদৰ্শ অংগনবাড়ী কেন্দ্ৰৰ শুভ উদ্বোধন কৰি কি ক’লে মন্ত্ৰী কেশৱ মহন্তইI...