1.જ્યારે આપણે નરમ ગાદલા પર સૂતા હોય ત્યારે શરીરના અંદરના અંગો પર વજન પડે છે અને દુખાવો થાય છે. પરંતુ જમીન પર સૂવાથી બધો જ ભાર જમીન પર જાય છે જેના કારણે શરીરના અંગો દબાતા નથી.2.જમીન પર સૂવાથી પીઠ અને કમરના દુખાવા થતા નથી.કારણ કે નરમ ગાદલામાં સૂતી વખતે આપણે ઘણી વખત એવી મુદ્રામાં સુઇ જઇએ છીએ જેના કારણે દુખાવો થાય છે. પરંતુ જમીન પર આ રીતે ખોટી મુદ્રામાં સુઇ શકાતું નથી જેના કારણે સ્નાયુ નો દુખાવો પણ દૂર થાય છે.3.જમીન પર સૂવાથી શરીરમાં રક્તસંચાર સારી રીતે થાય છે.ગાદલામાં સૂતી વખતે શરીરની મોટાભાગની નસો દબાયેલી રહે છે અને સ્નાયુ પર પણ દબાણ આવે છે.જેના કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે.4.જમીન પર સૂવાથી સાયટીકાના દુખાવાથી રાહત મળે છે.સાયટીકા એક નસ હોય છે જે કમરથી લઈ અને નિતંબ અને પગ તરફ આવે છે.જમીન પર સુતા લોકોને આ પ્રકારના દુખાવાથી આરામ મળે છે.5.જમીન પર સૂવાથી સૌથી વધુ ફાયદો નિતંબ અને ખભાને થાય છે.આ રીતે સૂવાથી ખભા, ગરદન અને નિતંબના દુખાવાથી મુક્તિ મળે છે.6.જમીન પર સૂવાથી પીઠનો દુખાવો પણ થતો નથી.કારણ કે કઠોર જમીન પર સૂવાથી કરોડરજ્જુ સીધી રહે છે અને તેમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે જેનું પરિણામ આવે છે કે તમને પીઠનો દુખાવો થતો નથી.7.હાડકા અને સાંધાના દુખાવા હોય અથવા તો ઈજા થઈ હોય તો જમીન પર સૂવાની સલાહ આપવામાં આવે છે.કારણ કે જમીન પર સૂવાથી હાડકાની સંરચના શ્રેષ્ઠ સ્થિતિમાં જોવા મળે છે.જો કે જમીન પર સુવાનું એ લોકોએ ટાળવું જેને કોઈ ગંભીર ઈજા હોય અથવા તો હાડકાં સંબંધિત સમસ્યા હોય.આ ઉપરાંત ચોમાસા અને શિયાળામાં પણ જમીન પર સુવાનું ટાળવું જોઈએ.