ઉત્તરાયણનાં તહેવારમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ.

ખેડા જિલ્લા

ઠાસરા તાલુકા

યાત્રાધામ ડાકોર ખાતે 

ભારતીય વિદ્યાભવન, ડાકોર કેન્દ્ર સંચાલિત ભવન્સ આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજમાં શારીરિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.ચૌધરી સાહેબ દ્વારા ઉતરાયણનાં તહેવાર નિમિત્તે વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલથી થતા અકસ્માતો અંગેની સમજ આપી તેનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો જેમાં ૫૦૦ થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજના ૫૦ થી વધુ કર્મચારીઓ પણ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબે પણ વિદ્યાર્થીઓને આ મકરસંક્રાંતિનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી, વિદ્યાર્થીઓને સલામત રીતે ઉજવણી કરવાનો અનુરોધ કર્યો હતો.

રીપોર્ટર સૈયદ અનવર ઠાસરા..