ભારત વિકાસ પરિષદ ઇસનપુર ના ઉપક્રમે ખેડબ્રહ્મા સિવિલ ખાતે 55 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને ધાબળાનું વિતરણ.

આજ તારીખ 7. 1 .2023 ના રોજ ભારત વિકાસ પરિષદ ઇસનપુરના ઉપક્રમે ખેડબ્રહ્મા સિવિલ ખાતે 55 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે દર્દીઓને ચહેરા ઉપર જે સ્મિત દેખાતું હતું એ દર્શાવતું હતું કે જેણે પણ શિયાળાની આ 

કડકડતી ઠંડીમાં ધાબળા માટે દાન કર્યું છે ,એનું દાન સાર્થક જગ્યાએ પહોંચ્યું છે.

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ઇસનપુરના પ્રમુખ શ્રી દર્શનભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ કંસારા, શ્રી તુષારભાઈ -સહમંત્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત ; શ્રી જયેશભાઈ પંડ્યા સાહેબ- મંત્રીશ્રી ,શ્રી નિકેશભાઈ શંખેસરા - વિભાગીય મંત્રી અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠા, પ્રા. ડો. રોહિત દેસાઈ -પ્રમુખ, શ્રી સાગર શાહ સદસ્ય તથા ડો. પ્રભાકાંત ઠાકુર- ઉપપ્રમુખ, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા ઉપસ્થિત રહ્યા હતા. સિવિલના સ્ટાફ શ્રી તેજસભાઈ નાઈ અને સૌ મિત્રોનો સહયોગ રહ્યો હતો.