વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ કાર્યક્રમ માં કાયદાના દાયરા માં આવતા લોકપ્રશ્નો હલ કરવા બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ

(મેરૂજી પ્રજાપતિ)પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ ડી.વાય.એસ.પી શ્રી ડૉ.કુશલ ઓઝા ડીસા વિભાગનાઓની અધ્યક્ષતામાં ડીસા તાલુકા પોલીસ મથકે પી.આઈ.શ્રી એસ.એન પટણી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ લોક જાગૃતિ માટે લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યુ હતું. 

કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબદ્ધ બનાસકાંઠા પોલીસવડાના વડપણ હેઠળ યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત રહેલ લોકોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી કાયદા ના દાયરા માં આવતા પ્રશ્ન હલ કરવા માટે પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવેલ.