ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરતા દિયોદર ના ધારાસભ્ય.,,બનાસની ધરતીમાં પાણીનું લેવલ ૧૨૦૦ ફૂટે પહોંચ્યું છે અને તેના કારણે ઊંડેથી પાણી કાઢીને ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બને છે, ત્યારે આ વિકટ બની જઈ રહેલી પાણીની સમસ્યાઓના નિવારણ માટે પેછડાલ ગામે રમેશભાઈ વિહાભાઈ ચૌધરીના ખેતરમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું હતું.. આ પ્રસંગે ડીસા ના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.