રૈયા ખાતે શ્રી અર્બુદા કેળવણી મંડળ આયોજિત વાર્ષિકોત્સવ સમારોહ યોજાયો.

વાર્ષિકોત્સવ પ્રસંગે પ્રમુખશ્રી અણદાભાઈ પટેલ એ સંબોધન કરતાં કહ્યું કે આવનારા સમયને ઉજ્જવળ બનાવામાં શિક્ષણની ખુબ જરુર છે પોતાના જીવન ના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક માતા પિતા એ પોતાની દિકરીઓને શિક્ષણ આપવું જોઈએ..

રૈયા કન્યા કેળવણી સંકુલ ખાતે વાર્ષિકોત્સવ સમારોહ યોજાયો, વાર્ષિકોત્સવ સમારોહ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, વાર્ષિકોત્સવ માં શાળા માં અભ્યાસ કરતી દિકરીઓએ રાસ,ગરબા, તલવાર બાજી, સ્વાગત ગીત, ગુજરાત નું ગૌરવ એવા ગરબા વગેરે કાર્યક્રમો રજૂ કર્યા હતા આ પ્રસંગે આંજણા ચૌધરી સમાજ ના આગેવાનો તેમજ પ્રમુખ શ્રી તેમજ દાતા શ્રી ઓ તેમજ શ્રી અર્બુદા કેળવણી મંડળ પરિવાર હાજર રહી ખુબ સુંદર આયોજન કર્યું હતું..