પાટણ

રાધનપુ રાધનપુર 

સ્લગ *રાધનપુર-સાંતલપુર ની નર્મદા કેનાલો માં સાફ-સફાઈ તેમજ રીપેરીંગ કામમાં ભ્રસ્ટાચાર ની ઉઠી બુમરાડ* 

વીઓ:-

      પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુર તાલુકાઓ માં ગુણવત્તા વગર ના કામ ને લઈ નર્મદા ની કેનાલો તુટી જવાની અને કેનાલો ની સાફ સફાઈ બાબતે તેમજ ખોટા બીલો ચુકવવા બાબતે અનેકવાર ભ્રસ્ટાચાર ના આરોપો નર્મદા કચેરી ના જવાબદાર અધિકારીઓ ઉપર લગાવવામાં આવ્યા છે. જે મળતી માહિતી અનુસાર અનેકવાર ઉપલી કચેરીએ અરજદારો દ્વારા લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે જેની તપાસ પણ હાલમાં ચાલું છે. 

મળતી માહિતી અનુસાર નર્મદા કચેરીએ જે એજન્સી નું ટેન્ડર મંજુર થાય છે તે પોતે એજન્સી કામ કરતી નથી. અને નીચેના પેટા ના પેટામાં જેને કામગીરી નો અનુભવ ના હોઈ તેવા સ્થાય લોકલ માણસો ને પેટા માં કામ આપી દેવાય છે.જેને લઈને વ્યવસ્થિત કેનાલો ની સાફ સફાઈ તેમજ રીપેરીંગ કામ પણ થતું નથી. આવા અણઘડત કામને લઈ વારંવાર કેનાલો પણ ટુટી જાય છે અને કેનાલ તુટવા ને લઈ ખેડૂતો ના ખેતરો માં ઉભા પાકમાં પાણી ભરાઈ જાય છે. જેને લઈ ખેડૂતો ને લાખો રૂપીયા નું નુકસાન વેઠવાનો વારો આવે છે. અને જેનો સીધો ભોગ રાધનપુર -સાંતલપુર તાલુકા ના ખેડૂતો બને છે. 

હાલ જો ઉપલી કચેરી દ્વારા ઝીણવટી ભરી તપાસ કરવામાં આવે તો અનેક જગ્યાએ કેનાલ સાફ સફાઈ થયેલ નથી.તેમજ કેનાલો તુટેલી હાલતમાં જોવા મળી શકે તેમ છે, ત્યારે કેનાલો ની સફાઈ ને લઈ કરોડો રૂપીયા ની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. ત્યારે કેનાલો ની સફાઈ પણ વ્યવસ્થિત થતી નથી ત્યારે ખેડૂતો ની માંગ છે કે જ્યાં સુધી સાફ સફાઈ તેમજ કેનાલ ના કામને લઇ પુરતું કામ ના થઈ જાય ત્યાં સુધી એકેય એજન્સી ને પેમેન્ટ ચુકવવું જોઈએ નહી. તેમજ ખેડુતો ની માંગ છે કે ટેન્ડર મંજુર થયેલ એજન્સી જ કામ કરે જેથી કામગીરીમાં સુધાર આવે તેમજ ઉપલી કચેરીએ નર્મદા કચેરીમાં કેનાલો ની કામગીરી માં થયેલ ભ્રસ્ટાચાર બાબત ની અરજદારો દ્વારા કરવામાં આવેલ લેખીત રજુઆત ની બને તેટલી ઝડપી તપાસ કરી ભ્રષ્ટ બાબુઓ અધિકારીઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો ની માંગ ઉઠવા પામી છે

રિપોર્ટર દિનેશ સાધુ. પાટણ