વિધાનસભા ચૂંટણી મા ભાજપ નો ભવ્ય વિજય થતા અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા સાહેબ ને ગુજરાત સરકાર માં કેબિનેટ સ્થાન મળતા જામ ખંભાળિયા ના અગ્રણી કાર્યકર ઇન્દ્રજીતસિંહ પરમાર અને ધીરુભાઇ ટાકોદરા એ કેશોદ ખાતે બિરાજમાન શ્રી આવળ માતાજી સુધી પદયાત્રા કરી શ્રી મુળુભાઇ બેરા ના વજન જેટલી સાકર ધરાવી ને રાખેલી માનતા પૂર્ણ કરવાનું આયોજન શ્રી આવળ માતાજી મંદિર ખાતે કરવામાં આવ્યું તેમજ 1 હજાર નોટબુક 2 હજાર પેન અને કુપોષિત બાળકોની કીટ થી મુળુભાઇ બેરા નું સન્માન કરવામાં આવ્યું જે નોટબુક પેન નું મુળુભાઇ બેરા એ કન્યા કેળવણી ના પ્રોત્સાહન માટે ભેટ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ કુપોષિત બાળકો ની કીટ પણ આંગણવાડી વર્કર ને અર્પણ કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે જામ ખંભાળિયા વિધાનસભા ભાજપ ના ઇન્ચાર્જ શ્રી પી.એસ જાડેજા જિલ્લા કલેક્ટર શ્રી મુકેશકુમાર પંડ્યા સાહેબ તેમજ ભરતદાસ બાપુ અને મોટી સંખ્યામાં વિવિધ સમાજ ના આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી સફળ કાર્યક્રમ અને ઉમદા કાર્ય બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા