અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ તા .૩૦ / ૧૨ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી , પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ . અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૨૦૧૮૨૨૦૩૦૫ / ૨૦૨૨ પશુ સરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ના સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૬ ( એ ) ( ૪ ) , ૮ ( ૨ ) , ૧૦ તથા પશુ પ્રત્યે ધાતકીપણાની કલમ ૧૧ ( ડી ) ( ઇ ) ( એફ ) ( એચ ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૯૨ ( એ ) મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય , મજકુર આરોપીને ગઇ કાલ તા .૨૯ / ૧૨ / ૨૦૨૨ ના રોજ અમરેલી , રાજકમલ ચોકથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપી , ધંધુકા પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે . પકડાયેલ આરોપીની વિગતઃ કિશોર બહાદુરભાઇ વાઘેલા , ઉ.વ .૩૦ , રહે.સનાળી , પ્લોટ વિસ્તાર , તા.વડીયા , જિ.અમરેલી . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, તથા હેડ કોન્સ . અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , તુષારભાઇ પાંચાણી , રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માલધારી સમાજ ધ્વારા એલાન માલધારી સમાજ એક દિવસ દુધ ના લગવા ભરવાં ના કામ માં રજા રાખશે
માલધારી સમાજ ધ્વારા એલાન માલધારી સમાજ એક દિવસ દુધ ના લગવા ભરવાં ના કામ માં રજા રાખશે
પાલનપુરના અસમાપુરામાં યુવક પર હુમલો થયા બાદ સારવાર દરમિયાન મોત
પાલનપુરના અસમાપુરા ગામે તા. 21 ઓક્ટોબરે સામાન્ય બાબતમાં જીગર વાઘેલા નામના યુવકને માથામાં લોખંડની...
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૨મી ઓગસ્ટે હરઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે
અમરેલી તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૨ (બુધવાર) અમરેલી શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યુ છે....
Indore Bus Fire News : सत्यसांई चौराहे पर I-Bus में लगी भीषण आग | यात्रियों को बस से उतारा गया
Indore Bus Fire News : सत्यसांई चौराहे पर I-Bus में लगी भीषण आग | यात्रियों को बस से उतारा गया
જિલ્લામાં કોરોના વાયરસના 29 કેસ નોંધાયા
જિલ્લામાં કોરોના વાયરસના 29 કેસ નોંધાયા