સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા આયોજીત કાર્યક્રમ મા સહુ ગ્રામજનો , સેવકો , ભક્તો , વિહળ પરીવાર સેવક સમુદાય ને જાહેર આમંત્રણ આપવામા આવે છે...

વિહળ પરીવાર સેવક સમુદાય તેમજ દેહાણ પરંપરા ની જગ્યાઓ માટે ખુબ ગર્વ લેવા જેવી બાબત છે કે જેની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી અને *પૂજ્ય શ્રી વિસામણ બાપુના ફોટા અને નામ સાથે ની પોસ્ટલ ટીકીટ* જાહેર કરેલ...

આ કાર્યક્રમ મા ઉપસ્થિત મહાનુભાવો મા ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી શ્રી પુરસોત્તમ રૂપાલા સાહેબ તેમજ દેવુસિંહ ચૌહાણ અને શ્રી ભારતીબેન શિયાળ સાંસદ શ્રી ભાવનગર ની અધ્યક્ષતા મા તેમજ જૂનાગઢ થી પૂજ્ય શ્રી શેરનાથજી બાપુ , ચાંપરડા થી પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ ,જૂનાગઢ થી પૂજય શ્રી ઈન્દ્રભારતી, સતાધાર આપાગીગા ની જગ્યા ના મહંત શ્રી વિજયબાપુ , ચલાલા દાન મહારાજ ની જગ્યા ના મહંત વલકુબાપુ , શ્રી પંચ નિર્મોહી અની અખાડા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રદાસ બાપુ , અમદાવાદ જગન્નાથ મંદિર ના મહંત દીલીપદાસ બાપુ , શીહોર જગ્યા ના મહંત શ્રી જીણારામ બાપુ , શ્રી મોહનદાસ બાપુ સહિત સાધુ સંતો મહંતો ની ઉપસ્થિતિ રહેશે...

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.