શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ, ડીસા દ્વારા રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે એસ.સી.ડબલ્યુ હાઈ સ્કુલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો..
ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નામના ધરાવતી જાણીતી ગ્રાહક હિત હકક રક્ષક સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ સમગ્ર જિલ્લા માં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 મી ડીસેમ્બર નિમિત્તે ગ્રાહક સપ્તાહ ની ઉજવણી ઠેર ઠેર સેમિનાર, પરિસંવાદ, રેલી, નિબંધ પ્રતિયોગિતા, શિબિર, ગ્રામ સભા નું આયોજન કરી રહી છે. તે જ શ્રંખલા માં આજે ડીસા એસ.સી.ડબલ્યુ હાઈ સ્કુલ ખાતે ભવ્ય સેમીનારનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર અને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ કિશોર દવે ઉપસ્થિત રહ્યા હતાં..
ઉપરાંત કાર્યક્રમ મા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા, કાર્યકર્તા રામભાઈ સૈની, હિતેશ સોનગરા, પ્રહલાદ ઠક્કર, શાળાના શિક્ષકગણ જે.આઇ. પ્રજાપતિ, ડી.વી. પરમાર, એમ.વી. વ્યાસ, જી. બી. ઠાકરડા પી.એમ. જોશી. ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમ ની શુરુવાત પ્રાર્થના થી કરવામાં આવી હતી ત્યાર બાદ મહેમાનો નો પુષ્પ ગુચ્છ અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા એ સંસ્થા પરિચય આપ્યો હતો. તદુપરાંત જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે એ પોતાની આગવી શૈલીમાં ગ્રાહક કોને કહેવાય, ગ્રાહકો ના અધિકારો, ગ્રાહક ની ફરજો વિશે ગ્રાહક વર્ગ ને માહિતગાર કર્યા હતા. શ્રી દવે એ જણાવ્યું હતું કે ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ને રદ્દ કરી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અમલ માં લાવી ગ્રાહકો ને સશક્ત બનાવેલ છે..
નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં નવી જોગવાઈઓ નો સમાવેશ કર્યો છે..
જેમ કે, હવે જો કોઈ વેપારી બિલ ના આપે તો તે અનૈતિક વેપાર પદ્ધતિ કાહેવાશે, ગ્રાહક જ્યા રહેતો હોય તે વિસ્તાર માં જ ગ્રાહક ફરિયાદ કરી શકે છે, ઇ કોમર્સ નો સમાવેશ ગ્રાહક સુરક્ષા કાયદા માં કર્યો છે, જેવી મહત્વ ની બાબતો થી ગ્રાહકો ને માહિતગાર કર્યા હતાં.
વધુ મા કિશોર દવે એ જણાવ્યું હતું કે ન્યાય મેળવવા માટે ગ્રાહકોને જાગૃત થવાની જરૂર છે..
કોઈ પણ પ્રકાર ની શર્મ કર્યા વગર ગ્રાહકો ને છેતરતા વેપારી કંપની વિરૂદ્ધ ફરિયાદ કરશે તો ગ્રાહક ને નિશ્ચિત ન્યાય મળશે. જો ગ્રાહક તેની સામે થતી છેતરપિંડીની ફરિયાદ નહીં કરે તો તેને ન્યાય નહિ મળે. એટલે જાગૃત થઈને ન્યાય મેળવવા કિશોર દવે એ ગ્રાહક વર્ગ ને આહ્વાન કર્યું હતું....