ધાનપુર તાલુકાના ધાનપુર કંજેટા ચોકડી પર  અહેકૉ દિવિપસિહ તથા ટીઆરબી જવાન વાહન ચૅકિગમા હતા તે દરમિયાન એક છકડા નં જીજે 20 ડબલ્યુ 3885 પિપેરો તરફથી બેફિકરાઈ અને પુર ઝડપથી ગફલતભરી રીતે ચલાવી પોતાની તેમજ રોડ પર આવતા જતા રાહદારીઓને જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી ને લઈને આવતા તેને ઉભી રાખવાનો ઈસારો કરતા દુર જઈને છકડો ઉભો રાખ્યો હતો. ચાલકનુ નામ પુછતા તેને પોતાનું નામ ભાવસિગ મનસુખભાઇ સંગોડ રહે પાવ તા ધાનપુર જણાવ્યું હતું. તેની સામે ધાનપુર પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.