નાંદોદ તાલુકાના રીંગણી ગામની 48 વર્ષીય મહિલાએ પેટ્રોલ છાટી દાઝી જતા સારવાર દરમિયાન થયું મોત

પ્રાપ્ત વિગત અનુસાર નાદોદ તાલુકાના રીંગણી ગામે ટેકરી ફળિયામાં રહેતા મહિલા 48 વર્ષીય રંજનબેન પરેશભાઈ વસાવા નાઓ તારીખ 25/12/2022 ના રોજ રીંગણી ગામે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઉપર પેટ્રોલ છાંટી સરગી જતા તેઓ દાઝી ગયા હતા જેથી તેઓને તેમના પરિજનો સારવાર અર્થે રાજપીપલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા પરંતુ મહિલા ની હાલત ગંભીર હોવાથી રાજપીપળા હોસ્પિટલ ખાતે ટૂંકી સરોવર કર્યા બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું મળેલ છે ઘટનાને પગલે આમલેથા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે