જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક માટે પૈસા ચૂકવવા પડશે,જળાભિષેક માટે પૈસા ચૂકવવાના નિર્ણયથી વિવાદ ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે પહેલા રૂ.351 ની પહોંચ ફડાવવી પડશે, જસદણ નાયબ કલેકટરના હુકમ સામે ભાવિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.મંદિરની આવક વધારવા માટે આવી રીતે જળાભિષેક કરવા માટે ચાર્જ લેવામાં આવશે તો ધર્મનો નાશ થઈ જશે તેવી ભાવિકોમાં ચર્ચાઓ જાગી.આ ચાર્જ લેવાથી શ્રીમંત વ્યક્તિ હશે તે મંદિરમાં પ્રવેશ કરી શકશે અને ગરીબ વ્યક્તિ હશે તે પ્રવેશ નહી કરી શકે તેવા ભાવિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા.