સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા દ્વારા આવતીકાલથી બેદીવસીય સાહિત્ય સંગોષ્ઠિનું આયોજન ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા' પર શનિવાર તથા રવિવારે આયોજન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ અને રવિવાર એમ દ્વીદિવસીય 'ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા' પર સાહિત્ય સંગોષ્ડીમાં આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે લોકભારતી સણોસરા ખાતે યોજાનાર 'ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા' પર સંગોષ્ઠિમાં સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો જોડાશે. પ્રથમ દિવસ શનિવાર તા.૬ સવારે ઉદ્દઘાટન સત્રમાં શ્રી ભદ્રાયુ વછરાજાની અધ્યક્ષીય વક્તવ્ય આપશે. આ સાથે શ્રી મનસુખ સલ્લા, શ્રી વિનોદ જોષી, શ્રી ઓમપ્રકાશ નાગર સાથે શ્રી વિશાલ ભાદાણી જોડાશે. પ્રથમ સત્રમાં શ્રી સોનલ પરીખના અઘ્યક્ષ સ્થાને શ્રી ડંકેશ ઓઝા તથા મહેન્દ્રસિંહ પરમાર વક્તા તરીકે રહેશે. દ્વિતીય સત્રમાં શ્રી યજ્ઞેશ દવેના અધ્યક્ષ સ્થાને શ્રી દીપક રાવલ તથા શ્રી ધ્વનિલ પારેખ વક્તા તરીકે રહેશે. તૃતિય સત્રમાં શ્રી ભરત યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને શ્રી રાજેશ્વરી પટેલ તથા શ્રી શૈલેષ ટેવાની વક્તા રહેશે. આ સંગોષ્ઠિના બીજા દિવસ રવિવાર તા.૭ સવારે ચતુર્થ સત્રમાં શ્રી મણીલાલ પટેલના અઘ્યક્ષ સ્થાને શ્રી કેસર મકવાણા તથા શ્રી નરેશ શુક્લ વક્તા રહેશે. પંચમ સત્રમાં શ્રી કિરીટ દૂધાતના અધ્યક્ષ સ્થાને શ્રી રાજેશ વણકર તથા શ્રી અજય રાવલ વક્તા રહેશે. જ્યારે આભાર વિધિ શ્રી દિનુભાઈ ચુડાસમા દ્વારા થશે. આ પ્રસંગે સાહિત્ય અકાદમીના પ્રકાશનોનું પ્રદર્શન અને વેચાણ માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haryana: धार्मिक यात्रा कर लौट रहे श्रद्धालुओं की बस में लगी आग, बचने वाले लोगों ने सुनाई आपबीती
Haryana: धार्मिक यात्रा कर लौट रहे श्रद्धालुओं की बस में लगी आग, बचने वाले लोगों ने सुनाई आपबीती
અરવિંદ કેજરીવાલનું મિશન ગુજરાત 2022:ઓગસ્ટ મહિનામાં 4 વખત આવશે ગુજરાત પ્રવાસે
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી...
સસ્પેન્ડ થયા પછી પણ તેણે હાર ન માની, શ્રીકાંત ત્યાગીને પકડવામાં આ પોલીસ અધિકારીએ ભજવી મહત્વની ભૂમિકા
નોઈડાના સસ્પેન્ડેડ ફેઝ-2 પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ સુજીત ઉપાધ્યાયે આરોપી શ્રીકાંત ત્યાગીની...
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને મળી ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટને ગર્ભાશયના પ્રત્યારોપણની પરવાનગી મળી છે. હવેથી કિડની...