ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯ થી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ત્રણ હપ્તાઓ પેટે ખાતેદાર ખેડૂતના બેંક એકાઉન્ટમાં DBT મારફત જમા કરવામાં આવે છે. ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકારશ્રી તરફથી મળેલ સૂચનાઓ મુજબ આગામી હપ્તાઓનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતને “e-KYC” કરાવવું ફરજીયાત છે. જે મુજબ e-KYC કરાવવા માટેની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૨ હોય જે ધ્યાને લઇ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભ લેતા તમામ લાભાર્થીઓને e-KYC કરાવવા નીચે મુજબ અમલવારી કરવાની રહેશે. “e-KYC” થયા સિવાય લાભાર્થી આગામી હપ્તો મેળવી શકાશે નહિ. “e-KYC” કરાવવા માટે લાભાર્થી ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ બાયોમેટ્રિક દ્વારા e-KYC કરી શકાશે. આ ઉપરાંત અન્ય રીતે પી.એમ.કિસાન યોજનાની વેબસાઈટ https://pmkisan.gov.in પોર્ટર પર Farmer Corner e-KYC માં જઈ લાભાર્થી ખેડૂત OTP મારફત પોતાની જાતે અપડેટ કરી શકશે. જેના માટે લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોવા આવશ્યક છે. “e-KYC” કરાવવા માટે લાભાર્થી ખેડૂતે ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખામાં જઈ બાયોમેટ્રિક દ્વારા e-KYC કરી શકાશે તેમજ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખા આધાર કાર્ડ સાથે ખેડૂતનો મોબાઈલ નંબર પણ લિંક કરી આપશે.વધુ માહિતી માટે તાલુકા પંચાયત તેમજ આપના ગામના તલાટી, ગ્રામ સેવક, વી.સી.ઇ. નો સંપર્ક કરવા તેમજિલ્લા ખેતીવાડી અધિકારી, મહિસાગરની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ৰহা জাগীয়ালত ১৫ দিনীয়া গ্ৰন্থ আৰু বানিজ্য মেলা সম্পন্ন।কবিতা পাঠ,গীত,নৃত্যৰে মুখৰিত। 
 
                      ৰহা জাগীয়াল ৰাজহুৱা ভবন আৰু কৃষ্টি বিকাশ কেন্দ্ৰৰ ব্যবস্থাপনাত যোবা ৩নবেম্বৰৰ পৰা অনুষ্ঠিত হোবা...
                  
   अनंतराव देशमुख व नकुल देशमुख यांचा देवेंद्र फडणवीस चंद्रशेखर बावनकुळे, उपस्थितीत भाजपमध्ये प्रवेश 
 
                      अनंतराव देशमुख व नकुल देशमुख यांचा देवेंद्र फडणवीस चंद्रशेखर बावनकुळे, उपस्थितीत भाजपमध्ये प्रवेश
                  
   World Cup 2023: Hardik Pandya की Team India में कब होगी वापसी? सामने आई अपडेट | वनइंडिया हिंदी 
 
                      World Cup 2023: Hardik Pandya की Team India में कब होगी वापसी? सामने आई अपडेट | वनइंडिया हिंदी
                  
   ৬ জনগোষ্ঠীক জনজাতিকৰণৰ পৰা উপেক্ষা- ক্ষোভিত ৬ জনগোষ্ঠীয় সংগঠন -তাই আহোম ছাত্ৰ সন্থাৰ বিক্ষোভ শদিয়া 
 
                      ৬ জনগোষ্ঠীক জনজাতিকৰণৰ পৰা উপেক্ষা- ক্ষোভিত ৬ জনগোষ্ঠীয় সংগঠন -তাই আহোম ছাত্ৰ সন্থাৰ বিক্ষোভ শদিয়া
                  
   મહેસાણા જિલ્લામાં ગુનાઓ આચરી નાસતા -ફરતા ખુંખાર બે આરોપીઓ સિદ્ધપુર મેળામાંથી ઝડપાયા 
 
                      સિદ્ધપુર પીઆઈ જે.બી. આચાર્ય,પીએસઆઈ વી.એ.લીંબાચિયા તેમજ સ્ટાફના માણસો કાર્તિક પૂનમના મેળા સબબ...
                  
   
  
  
  
  
   
   
  