ગુજરાત માં ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે કેટલાક ઉમેદવારો મતદારો નો આભાર વ્યક્ત કરવા માટે ઋણ સ્વીકાર નો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે કતારગામ ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ બેનરો લગાવી જનતા નો આભાર વ્યક્ત કર્યો હતો. કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાંમાં મને 55,713 મત આપીને હિંમત વધારવા બદલ કતારગામની જનતાનો આભાર માનવા મેં અલગ અલગ જગ્યાએ બેનર લગાવ્યા છે.કતારગામના અનેક વિસ્તારમાં "કતારગામની જનતાનો આભાર" દર્શાવાતા બેનર લગાવ્યા જેમાં વિજયભાઈ ઘેલાણી, દીપ્તિબેન સાકરીયા, પંકજ આંબલીયા, રાઘવજી ગાયકવાડી, તુલસી લાલૈયા, રજની વાઘાણી, રાહુલ પાંડે, વિપુલભાઈ ગઢાળી, ચેતન ધામેલીયા, સહિતના કાર્યકરોએ સહકાર આપ્યો હતો.