પૂર્વ મધ્ય રેલેવના ધનબાદ મંડળના ગઢવા રોડ-તોલરા-રજહરા સ્ટેશનો વચ્ચે નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ-કોલકાતા -અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે,

1. 07 અને 14 ડિસેમ્બર 2022 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સ્પેશિયલ તેના નિર્ધારીત માર્ગ કટની મુડવારા-સિંગરૌલી-ચોપન-ગઢવા રોડ-બરકાકાના-ચંદ્રપુર-ધનબાદને બદલે વાયા કટની મુડવારા-સતના-માણિકપુર-પ્રયાગરાજ- છિવકી-પં.દીનદયાળ ઉપાધ્યાય જં-ગયા ના માર્ગે ચાલશે,

2. 10 અને 17 ડિસેમ્બર 2022 ના રોજ કોલકાતાથી ઉપડતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સ્પેશિયલ તેના નિર્ધારીત માર્ગ ધનબાદ-ચંદ્રપુરા-બરકાકાના-ગઢવા-રોડ- ચોપન-સિંગરૌલી-કટની મુડવારા ને બદલે વાયા ધનબાદ-ગયા-પં.દીનદયાળઉપાધ્યાય-પ્રયાગરાજ-છિવકી-માણિકપુર-સતના-ક્ટની-કટની મુડવારાના માર્ગે ચાલશે,

યાત્રીઓથી નિવેદન છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી

www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.