દાહોદની નવજીવન કોલેજ ખાતે ૩૮૪ માઇક્રો ઓબ્ઝેર્વસશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ, તા. ૩૦ : જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે દાહોદની નવજીવન કોલેજ ખાતેના સભાગૃહમાં માઇક્રો ઓબ્ઝેર્વસશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ જનરલ ઓબ્ઝર્વસ શ્રી રીષિરેન્દ્ર કુમાર, શ્રી સચીન્દ્ર પ્રતાપસિંહ, શ્રી સુનીલ શર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં માઇક્રો ઓબ્ઝર્વસશ્રીએ નિભાવવાની ફરજ તેમજ ઇવીએમ, વીવીપેટ બાબતે વિસ્તૃત સમજ અપાઇ હતી. તાલીમ કાર્યક્રમમાં સહભાગી થયેલા ૩૮૪ જેટલા માઈક્રો ઓબ્ઝર્વસશ્રીઓને ચૂંટણી પંચની તમામ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન થાય એ માટે જનરલ ઓબ્ઝર્વસશ્રીઓએ જણાવ્યું હતું અને ચૂંટણી પ્રક્રિયામાં માઇક્રો ઓબ્ઝર્વસની ભૂમિકા વિશે સમજ આપી હતી. આ વેળા પુરવઠા અધિકારી શ્રી વસાવા, પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ સહિતના ચૂંટણી સલગ્ન અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.