ડીસા(મેરૂજી પ્રજાપતિ)જેમના સ્મરણ માત્રથી જીવનની હતાશા દૂર થઈ જાય અને જેમની પ્રેરણાથી દરેક કાર્યમાં સફળતા મળે તેવા સ્મિષ્ટિ ના કલ્યાણ માટે કાર્યરત મહંત શ્રી પરમ પૂજ્ય રાજેન્દ્રાનંદ ગિરિજી (શ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ પાટણ) મહારાજે ચેકરા અને મટુ ગામના ભાવિક ભક્તોને દર્શન આપી ધન્ય કરેલ.બાપુની પધરામણી ને લઈ ધર્મપ્રેમી સેવકોએ પુષ્પવર્ષા થી સ્વાગત કરી ધન્યતા અનુભવેલ.આ પ્રસંગે ચેકરા શ્રી પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગૌશાળા ના બાપજી પૂજ્ય સુંદર નાથજી બાપુ અને વિદ્વાન પંડિત શ્રી પૂ.ભરતજી શાસ્ત્રી એ ઉપસ્થિત રહી ધર્મ પ્રેમીઓને સંબોધેલ પૂજ્ય રાજેન્દ્રાનંદગીરી બાપુ એ એમની ઓજસ્વી વાણીમાં ગૌ સેવા થકી સનાતન ધર્મને અનુસરી યોગેશ્વર શ્રી ભગવાન શ્રી કૃષ્ણના પથ પર ચાલવાની પ્રેરણા આપેલ. ગૌશાળા ની મુલાકાત લઈ ધર્મ પ્રેમી જનતાને ગૌસેવા લેવાનો લાભ લેવા અનુરોધ કરેલ. ઉલ્લેખનીય છે.કે પૂજ્ય શ્રી પૂર્વાશ્રમમાં પત્રકાર ક્ષેત્રના માર્ગદર્શક ગુરુ તરીકે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.ત્યારે મને મંત્ર દીક્ષા આપી મનુષ્ય જનમ સફળ કરવાની પ્રેરણા આપી ધન્ય કરેલ.